મોરબીમાં આદિત્ય L1 અને ચંદ્રયાનની થીમ સાથે ગણપતિ સ્થાપન

- text


મોરબી : ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ ચુકી છે. મોરબીમાં પણ ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં એસપી રોડ પર ઈડન ગાર્ડનમાં રહેતા મુંદડિયા પરિવારે આદિત્ય L1 અને ચંદ્રયાન-3ની થીમ પર ગણપતિ પંડાલ બનાવી ગણપતિજીની સ્થાપના કરી છે.

ઈડન ગાર્ડનમાં રહેતા મેહુલભાઈ મુંદડિયા અને નીકુલભાઈ મુંદડિયાએ તેઓના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. તેઓએ ગણપતિજીની મૂર્તિની આસપાસ અવકાશીય નજારો સ્થાપિત કર્યો છે. તાજેતરમાં ઈસરો દ્વારા સફળ કરાયેલા મિશન આદિત્ય L1 અને ચંદ્રયાન-3ની થીમ પર તેઓએ સુશોભન કરીને ગણપતિજીની સ્થાપના કરી છે. તેઓની આ અદભુત ઝાંખીના દર્શન કરવા લોકો તેઓના ઘરે આવી રહ્યા છે.

- text

- text