મોરબીની સબજેલના બાથરૂમમાં દુષ્કર્મ કેસના કેદીનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : માળીયા મિયાણામા અપહરણ અને દુષ્કર્મ કેસમાં મોરબીની સબજેલમાં સજા ભોગવતા કેદીએ આજે કોઈ કારણોસર સબજેલના બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આથી મૃતકની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બનાવની એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની સબજેલમાં અપહરણ અને દુષ્કર્મ કેસમાં સજા ભોગવતા કેદી સોમનાથ ઉર્ફે શોભનાથ રામપ્રતાપ રાજપૂત ઉ.વ.22એ ગત મોડી રાત્રે બેરેકના જનરલ શોચાલયમાં પ્લાસ્ટિકના પાઈપમાં પીળા કલરનો રૂમાલ બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી તેના મૃતહેદને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે જેલના સતાધીશોએ મૃતકના પરિવાર અને એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે જેલ સ્ટાફ બેરેકમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. ત્યારે કેદીઓની ગણતરીમાં એક કેદી ઓછો માલુમ પડતા જેલમાં શોધખોળ કરતા શોચાલયમાંથી આ કેદીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેદીને એક મહિના પહેલા સબજેલમાં રાખવામાં આવ્યો હતો અને માળીયા મિયાણા વિસ્તારમાં વર્ષ 2022માં અપહરણ અને દુષ્કર્મ કેસમાં તેની પોલીસે ધરપકડ કરીને આ જેલમાં ધકેલ્યો હતો. આથી હાલ મોરબી એ ડિવિઝન પોલીસે આ આપઘાતના કેસની ઉડી હાથ ધરી છે.

- text