માનગઢમાં વીજ કરંટ લાગતા ભેંસનું મોત

- text


હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામે આજે મોડી સાંજના પાંચેક વાગ્યાની આસપાસ માનગઢ ગામે જ રહેતા શીવાભાઈ જાહાભાઈ ગોલતર ની ભેંસ ગામના ઝાપા પાસે આવેલ ટ્રાન્સફોર્મરની પાસેથી પસાર થતી હતી ત્યારે વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. વધુમાં ગામ લોકો જણાવી રહ્યા છે કે ગામના મુખ્ય રોડ પર જ ટ્રાન્સફોર્મર ઊભું કરી દેવામાં આવ્યું હોય જેના કારણે અહીં ક્યારેક કોક મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

- text

- text