મોરબીમાં જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી, મોકે જ નીચે દુકાન બંધ હોવાથી જાનહાની ટળી

- text


મોરબી : મોરબીના માધાપરમાં એક જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી થઈ છે. જો કે મોકે જ નીચે દુકાન બંધ હોવાથી સદનસીબે જાનહાની ટળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના માધાપર વિસ્તારમાં એક જર્જરિત મકાન પાડવા પાલિકામાં અનેક વખત રજુઆત થઈ છે. પણ પાલિકાએ કોઈ રસ ન લેતા સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મકાનની પારાપેટ ધરાશાયી થઈ હતી. આ મકાનની નીચે હેરડ્રેસરની દુકાન આવેલી છે. જો કે આજે આ દુકાન બંધ હોય સદનસીબે જાનહાની ટળી હતી.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં આવી અનેક જર્જરિત ઇમારતો છે. જેનો સર્વે કરવાની માત્ર વાતો થઈ પણ કઈ કાર્યવાહી થઈ નથી. આમ ભારે વરસાદમાં આવી ઇમારતો જાનહાની સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે.

- text