વાંકાનેરની વિઠ્ઠલપર શાળામાં બાળ વૈજ્ઞાનિક – પર્યાવરણ પ્રદર્શન યોજાયું 

- text


વાંકાનેર : તારીખ 18 સપ્ટેમ્બર ને સોમવારના રોજ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની ગ્રુપ શાળાનું બાળ વૈજ્ઞાનિક પર્યાવરણ પ્રદર્શન વિઠ્ઠલપર પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું.

આ પ્રદર્શનમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સી.આર.સી જામસર નરેન્દ્રસિંહ ચૌહાણની દેખરેખ હેઠળ તેમજ વિઠ્ઠલપર પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પરમાર, શિક્ષક રોહિતભાઈ ખાડેકા, મેગાભાઈ ઝાલા, જયેશભાઈ કુકરવાડિયા, કાજલબેન સોજીત્રા અને પંકજભાઈ ગોહેલની મહેનતથી સફળ બન્યો હતો.

- text

- text