મોરબીમાં વિદ્યુત નગર યુવા ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં વિદ્યુત નગર યુવા ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 19 થી 28 સપ્ટેમ્બર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 19ના ગણપતિનું સ્થાપન કરવામાં આવશે અને તા. 28ના વિસર્જન કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન સવારે 9 કલાકે અને રાત્રે 9 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની તમામ ધર્મપ્રિય જનતાને આ મહોત્સવમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા વિદ્યુત નગર ઉત્સવ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text