- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે પોતાની વાડીએ સરગવાના પાકમાં દવા છાંટતી વખતે અજીતભાઇ મનસુખભાઇ ડાભી નામના ખેડૂતને ઝેરી અસર થતા ખેડૂતને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.8 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ નિપજતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text