માળીયા (મિ.)ના ચાંચાવદરડા કાલે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

- text


માળીયા (મિ.): આવતીકાલે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ઠેર ઠેર કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થનાર છે ત્યારે માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામે બજરંગ સેવા મંડળ દ્વારા ઉલ્લાસભેર જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ચાંચાવદરડા ગામે સવારે 8 કલાકે શોભાયાત્રા નીકળશે અને બપોરે 12 કલાકે રામજી મંદિર ચોકમાં પહોંચશે. ત્યારબાદ 12 કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મટકી ફોડ કાર્યક્રમ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા બજરંગ સેવા મંડળ ચાંચાવદરડા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text