રામકો વિલેજ ઘુંટું ખાતે ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

- text


મોરબી : મોરબીના રામકો વિલેજ ઘુંટું ગામે મારૂતિ નંદન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત જન્માષ્ટમીના દિવસે સવારે 7 વાગ્યે રથયાત્રા નીકળશે અને બપોરે 12 વાગ્યે મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરાયું છે. રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં પધારવા ધર્મપ્રેમી જનતાને મારૂતી નંદન યુવા ગ્રુપ તથા રામકો વિલેજ ઘુંટું દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text