સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવા સંતો-મહંતોનું એલાન

બે દિવસમાં વિવાદનો સુખદ અંત આવશે :કોઠારી સ્વામી 

સાળંગપુર તેમજ અમદાવાદ ખાતે સંતો અને મહંતોની મહત્વની બેઠક યોજાઈ 

મોરબી : સાળંગપુરમાં હનુમાનજી ભીતચિંત્રને લઈને ચાલતા વિવાદ વચ્ચે આજે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો દૂર કરવાની સાધુ સંતોની માગ કરી બે દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા સમય આપ્યો છે, બીજી તરફ આજે અમદાવાદ લંબે હનુમાનજી મંદિર ખાતે યોજાયેલી સાધુ-સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનું જાહેર કરાયું છે, સાથે જ સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીએ બે દિવસમાં સુખદ અંત આવી જશે તેવું જણાવ્યું હતું.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદમાં આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા.

દરમિયાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર મંદિર ખાતે સનાતન ધર્મના સાધુ સંતોઓ સ્વામી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ કોઠારી વિવેક સાગર સ્વામીએ સાધુ સંતો સાથે બેઠક થઈ હોવાનું જણાવી તમામ પ્રશ્નો અંગે અમે જવાબ આપ્યા હોવાનું કહી ભીંતચિત્રોનો જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સુખદ અંત બે દિવસમાં આવશે અમે જણાવ્યું હતું સાથે જ વિવાદ મામલે વડતાલના વડીલ સંતો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું.