- text
મોરબી : મોરબીમાં મનસુરી પીંજારા સમાજની રીલીફ કમિટી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગીફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેડીકલ ઓફીસર ડો. મનસુરભાઈ હાજી ઈસ્માઈલભાઈ પીલુડીયા, પીએસઆઈ હાજી સલીમભાઈ હસનભાઈ હેરંજા, મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહી શિક્ષણ વિશે માહીતગાર કર્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ રિલીફ કમિટીના સહ કન્વીનર રાજબઅલી રફીકભાઈ પીલુડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
- text
- text