સૌરાષ્ટ્ર જનતામાં એસી બંધ ! મુસાફરોએ રેલવે તંત્રને પરસેવો છોડાવ્યો

- text


વેરાવળથી વાંકાનેર સુધી એસી કોચના એસી ચાલુ ન થતા વાંકાનેરમાં મુસાફરોનો હંગામો, દોઢ કલાક બાદ ટ્રેન ઉપડી

વાંકાનેર : આજે વેરાવળ, રાજકોટથી ઉપડેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન થતા પરસેવે રેબઝેબ બનેલા મુસાફરોએ વાંકાનેર રેલવે સ્ટેશને હંગામો મચાવી રેલવે અધિકારીઓને પસીનો છોડાવી દેતા અંતે દોઢેક કલાકની માથાપચી બાદ ટ્રેન રવાના થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વેરાવળથી બાંદ્રા જવા રવાના થયેલી જનતા એક્સપ્રેસ ટ્રેનમાં એસીમાં ખામી સર્જાઈ હોવાથી રાજકોટ સુધી એસી ચાલુ થયું ન હતી બાદમાં ટ્રેન નિર્ધારિત સમયે ચારેક વાગ્યાના અરસામાં વાંકાનેર પહોંચતા મુસાફરોની ધીરજ ખૂટતા ટ્રેનને વાંકાનેર સ્ટેશન ઉપર અટકાવી હંગામો મચાવ્યો હતો.

- text

દરમિયાન રાજકોટ પશ્ચિમ રેલવેના પીઆરઓ વિવેક તિવારી સાથે આ મામલે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં એસી કોચનો પ્રશ્ન ભાવનગર ડિવિઝન અંડરમા આવતો હોય મુસાફરોની રજુઆત બાદ વાંકાનેર સ્ટેશન ખાતે એસી ચાલુ કરાવી 5.34 મિનિટ ટ્રેનને રવાના કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.

- text