મોરબીના નાની વાવડી ખાતે યદુનંદન ગ્રુપ દ્વારા દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પનું આયોજન 

- text


મોરબી : મોરબીના નાનીવાવડી ખાતે દશામાના દર્શનાર્થે મોટી સંખ્યામાં પદયાત્રીકો આવતા હોય યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દશામાના મંદિરે દૂર દૂરથી ભક્તો પગપાળા આવી રહ્યા હોય યદુનંદન ગ્રુપ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે આ સેવા કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે.

આ સેવા કેમ્પમાં નાની વાવડીના બોરીચા સમાજના યુવાનો સેવા આપી રહ્યા છે. યદુનંદન ગ્રુપના સભ્ય દ્વારકેશભાઈ કુંભરવાડીયાએ જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે અને આ સેવા કેમ્પનો દર વર્ષે લાભ લેતા હોય છે. ભાવિકોની સેવામાં યદુનંદન ગ્રુપના યુવાનો સતત કાર્યશીલ હોય છે.

- text

- text