મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા તિરંગાનું વિતરણ કરાયું

- text


મોરબી : દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન શરૂ થનાર છે. જેમાં દરેક નાગરિકોના ઘરે રાષ્ટ્રની આન,બાન, શાન સમાન તિરંગો લહેરાય તેવા હેતુ સાથે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા અનેક સ્થળોએ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text