મોરબીની ધર્મનગર સોસાયટીમાં વીજ ધાંધિયાથી રહીશો પરેશાન

- text


મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે રાજપર રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં અવાર નવાર વીજ ધાંધિયાથી રહીશો પરેશાન થઈ ગયા છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા પીજીવીસીએલને લેખિત રજૂઆત કરી છે.

શનાળા ડિવિઝનના રાજપર રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તાર હવા છતાં મેઈન લાઈન ઈન્ડસ્ટ્રીયલ લાઈન સાથે જોડવામાં આવી છે. જેના કારણે અવાર નવાર વીજ કાપ રહેતો હોવાનું રહીશો જણાવી રહ્યા છે. આ અંગે ટીસીની અનેક વખત અરજી કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. વાવાઝોડા દરમિયાન પણ અનેક ઘરોમાં ઉપકરણો બગડી ગયા હોવાનું રહીશોએ જણાવ્યું છે. આ ઉપરાંત વિજ તંત્રની બેદરકારી, ફોન ન ઉપાડવા, મનફાવે તેવા જવાબ આપવા જેવી અનેક સમસ્યાથી સોસાયટીના રહીશો પરેશાન છે. ત્યારે આ સમસ્યાનો હલ આવે તેવી રજૂઆત પીજીવીસીએલ મોરબી સર્કલને રજૂઆત કરાઈ છે.

- text

- text