વાંકાનેરના ભાયાતી જાંબુડીયા અને ઢુવા ગામે એસપી દ્વારા લોકદરબાર યોજાયો 

- text


ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા, માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ અંગેનું માર્ગદર્શન પણ આપ્યું

વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેરના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામે ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વાંકાનેર પીઆઇ વી.પી. ગોલ, વાંકાનેર તાલુકા પીઆઈ બી.પી. સોનારા તેમજ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો તથા સરપંચો અને પ્રજાજનો હાજર રહ્યા હતા.

- text

લોક દરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો ઝડપી અને ત્વરિત નિકાલ કર્યો હતો. આ ઉપરાંત લોકદરબારમાં હાજર રહેલ પ્રજાજનોને માર્ગ સલામતી તથા ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમ અંગેનું જરૂરી માર્ગદર્શન આપી તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા વ્યસનોથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી.

- text