કલા મહોત્સવમાં વાંકાનેરની ઘીયાવડ શાળાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


વાંકાનેર : જુના કણકોટ તાલુકા શાળા ખાતે G 20 “વસુધૈવ કુટુંબકમ” થીમ આધારિત સી.આર.સી. કક્ષાના કલા મહોત્સવ અને “નિપુણ ભારત” અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘીયાવડ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધામાં ઘીયાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી હતી. જેમાં સંગીત વાદન સ્પર્ધામાં ઝાલા ભવ્યદીપસિંહ મહેન્દ્રસિંહે તૃતીય ક્રમ, થોરિયા કુલદીપ પરબતભાઇએ વાર્તા કથન સ્પર્ધામાં પ્રથમ ક્રમ તથા ચૌહાણ સેજલ સંજયભાઈએ સંગીત ગાયન સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને ઘીયાવડ પ્રાથમિક શાળા તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

- text

દરેક વિદ્યાર્થીને સી.આર.સી.કો. ઓર્ડીનેટર ઇર્ષાદભાઈ શેરાશિયા, ઘીયાવડ પ્રાથમિક શાળાના આચાર્ય પરમાર વિરેન્દ્રસિંહ તથા શાળા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ વાર્તા કથન સ્પર્ધામાં થોરિયા કુલદીપ પરબતભાઈ સી.આર.સી. જુના કણકોટનું પ્રતિનિધિત્વ કરશે.

- text