હરેકૃષ્ણ સત્સંગ મંડળ મોરબી દ્વારા કાલે એકાદશીએ વિવિધ કાર્યક્રમો યોજાશે 

- text


મોરબી : મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા તા. 29 ને શનિવારે ભક્તિ નગર સર્કલ પાસે આવેલા મોર્ડન હોલ ખાતે પુરૂષોત્તમ માસની એકાદશીની ઉજવણી કરવાનું આયોજન કરી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારે 9 કલાકે સત્સંગમાં સર્વે ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થશે તેમજ સવારે 10 કલાકે ઈસ્કોનના ત્રિદંડી સંન્યાસી ભક્તિ આશ્રય વૈષ્ણવ સ્વામી મહારાજનું આગમન થશે અને તેમના દ્વારા પૂર્ણ પુરૂષોત્તમ રાધા કૃષ્ણ અને ગૌર નિતાઈ ભગવાનનું પુરૂષોત્તમ માસની એકાદશીના દિવસે સ્થાપના તેમજ અભિષેક કરવામાં આવશે. ત્યારપછી ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવશે અને મહાઆરતી યોજાશે.

- text

આ કાર્યક્રમ પછી સવારે 11:30 કલાકે ભક્તિ આશ્રય વૈષ્ણવ સ્વામી મહારાજ દ્વારા પ્રવચન યોજાશે તેમજ બપોરના 12:30 કલાકે એકાદશી ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રમાં દર બુધવારે સત્સંગ કરવામાં આવે છે ત્યારે પુરૂષોત્તમ માસની એકાદશીની ઉજવણીમાં મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા સત્સંગ કેન્દ્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text