પોલીસ ચોકીના બોર્ડનું નામ સુધારી મહારાજા લગધીરસિંહજી કરવા રજૂઆત

- text


મોરબી જિલ્લા કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા લેખિત રજૂઆત કરાઈ

મોરબી : મોરબી લગધીર ગેટ પોલીસ ચોકીના બોર્ડ પર લખધીરસિંહજી લખેલું છે ત્યાં મહારાજા લગધીરસિંહજી નામ લખવા કરણી સેના અને મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેકટરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી.

મોરબીમાં લગધીર ગેટ પોલીસ ચોકીનું નામ મહારાજા લગધીરસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. પરંતુ તે પોલીસ ચોકીના બોર્ડ ઉપર લગધીરસિંહજીની જગ્યાએ લગધીર ગેટ પોલીસ ચોકી લખેલું બોર્ડ મારવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા કરણી સેના અને સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેકટરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, બોર્ડ પર માત્ર લખધીર લખેલું હોવાથી તે અમારા મહારાજા માટે અપમાનજનક લાગે છે. તેથી ત્યાં વહેલી તકે લગધીરસિંહજી લખવામાં આવે અને સમગ્ર ક્ષત્રિય સમાજને માન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- text

- text