મોરબીમાં 60 વર્ષથી રહેતા 39 પરિવારોને અચાનક ઘર ખાલી કરવાની નોટિસથી ફફડાટ

- text


મોરબીના સામાકાંઠે સોઓરડી રામદેવપીર મંદિરની બાજુમાં રહેતા સામાન્ય પરિવારોને લેન્ડ ગ્રેબીગની ફરિયાદ આવી હોવાનું કહી મકાનો ખાલી કરવાની પોલીસે નોટિસ ફટકારી

સામાન્ય પરિવારોએ ધારાસભ્ય, પૂર્વ નગરસેવકોને સાથે રાખી કલેક્ટરને મકાનના પુરાવા સાથે આવેદન આપ્યું

મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં 60 વર્ષથી રહેતા 39 સામાન્ય પરિવારો અચાનક ઘર ખાલી કરવાની નોટિસથી ફફડી ઉઠ્યા છે. જેમાં આ સામાન્ય પરિવારોને લેન્ડ ગ્રેબીગની ફરિયાદ આવી હોવાનું કહી મકાનો ખાલી કરવાની પોલીસે નોટિસ ફટકારી હોવાથી સામાન્ય પરિવારોએ ધારાસભ્ય, પૂર્વ નગરસેવકોને સાથે રાખી કલેક્ટરને મકાનના પુરાવા સાથે આવેદન આપ્યું છે.

- text

મોરબીના સામાકાંઠે સોઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં 60 વર્ષથી રહેતા 39 સામાન્ય પરિવારોને બી ડિવિઝન પોલીસ દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. પોલીસે નોટિસમાં જણાવ્યું છે કે, આ મકાનો અને પ્લોટ ગેરકાયદે હોય લેન્ડ ગ્રેબીગની ફરિયાદ થઈ હોવાનું કહીને મકાનો ખાલી કરવાની તાકીદ કરી છે. આથી આ સામાન્ય પરિવારોએ ધારાસભ્ય અમૃતિયા, પૂર્વ કાઉન્સિલરો અને અગ્રણીઓને સાથે રાખી અધિક કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત જગ્યા ઉપર તેઓ 60 વર્ષથી રહે છે અને વર્ષ 1963 અને 1973માં સનદથી પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં કુલ 39 પ્લોટમાંથી 24 પ્લોટમાં મકાનો થયેલા અને 15 પ્લોટ ખુલ્લા છે. આ મકાનના પુરાવા રૂપે સનદ સીટી સર્વે રેકર્ડ, કરવેરા, લાઈટ બીલ પણ છે. 15 ખુલ્લા પ્લોટનો કોર્ટ દ્વારા તેમને સોંપવાનો પણ હુકમ થયો છે. આથી આ કલેક્ટર થકી પોલીસે આપેલી નોટિસને પરત ખેંચી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.

- text