મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરૂ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા તા. 3 થી 12 જુલાઈ દરમિયાન મોરબી જિલ્લાની વિવિધ 30 જેટલી શાળામાં ગુરૂ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે વર્તમાન સમયમાં ગુરૂ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરૂઓ પ્રત્યેનો પુજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરૂઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના 7414 વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાના ધો. 1 થી 12 ના કુલ 242 વિદ્યાર્થીઓ તથા 217 શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

- text