માધાપરવાડી કુમાર શાળાના બાલવાટીકાના બાળકોને સરપંચ દ્વારા સ્કૂલબેગ અર્પણ કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાના માધાપર ઓ. જી. ગ્રામ પંચાયતના સરપંચ ડો. ગણેશભાઈ નકુમ દ્વારા દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ મેળવેલા બાળકોને સ્વખર્ચે સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ માધાપરવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશ પાત્ર 40 બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવી હતી.ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં બંને શાળાના આચાર્ય તુષારભાઇ બોપલીયા તેમજ શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text