અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગરની કારોબારીની રચના

- text


મોરબી : 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન ABVPની મોરબી શાખા દ્વારા 9 જુલાઈએ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારીની રચના કરવામાં આવી હતી.

નવી કારોબારીમાં નગર અધ્યક્ષ મનહરભાઈ શુદ્વા, નગર મંત્રી રાજદિપસિંહ જાડેજા, નગર ઉપાધ્યક્ષ મુકતાબેન સોલંકી, નગર ઉપાધ્યક્ષ શિલ્પાબેન પનારા, નગર સહ મંત્રી કર્મભાઈ કાસુન્દ્રા, નગર સહ મંત્રી મયુરભાઈ રાઠોડ, નગર સહ મંત્રી દિક્ષિતાબેન ધામેચા, નગર કાર્યાલય મંત્રી હર્ષિતરાજસિંહ ઝાલા, સોશિયલ મીડિયા સંયોજક ધેર્યભાઈ દવે, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક કુલદીપસિંહ ઝાલા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, સંયોજક લક્ષિતભાઈ ડોડીયા, સ્પોર્ટ્સ સંયોજક મેત્રીકભાઈ જોષીની નિમણૂક કરાઈ છે. જ્યારે કારોબારી સદસ્ય તરીકે અભયભાઈ અગવત, સંકેતભાઈ મકવાણા, જેમિસભાઈ લાલવાણી, આર્યનભાઈ વધાડિયા, તાનિયાબેન, પ્રાચિબેન નિમાવત, વંશિકાબેન શેરસીયા, રેનસીબેન લિખીયા, ભકિતબેન રાણપરા, ટીશા મેજડિયા, ઉન્નતિબેન ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશસહ મંત્રી રિદ્ધિબેન રામાનુજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text