મોરબીથી સાળંગપુર જવાનું કહીને નીકળેલો યુવાન લાપતા

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગર, સો ઓરડીમાં રહેતા દિલીપભાઈ છગનભાઈ સોલંકી નામનો યુવાન ગત તા.23 જૂનના બપોરના 3 વાગ્યાના અરસામાં સાળંગપુર જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ આજ દિન સુધી પત્તો ન લાગતા પરિવારજનો દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધ કરાવી છે. આ યુવાન અંગે કોઈને જાણ થાય તો મોબાઈલ નંબર 9106037042, 9664860726 અથવા મોબાઇલ નંબર 9537964180 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text