મોરબીમાં 8 અને 9 જુલાઈએ કેન્સર નિદાન કેમ્પ યોજાશે 

- text


મોરબી : સ્વ. મોતીરામ દયારામભાઈ મહેશ્વરીના આત્મ શ્રેયાર્થે ગ્રુપ ઓફ મહેશ્વરી મેડિકલ, કિરણભાઈ મહેશ્વરી (પ્રમુખ, મોરબી કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસોસિએશન) દ્વારા આગામી તારીખ 8 જુલાઈ અને 9 જુલાઈના રોજ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 8 જુલાઈ ને શનિવારે સાંજે 4 થી 7 અને તારીખ 9 જુલાઈ ને રવિવારે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન મોરબીની વિસાશ્રીમાળી જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડીસી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આ કેન્સર નિદાન કેમ્પ યોજાશે. જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (MS) દર્દીઓને વિનામૂલ્ય તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. તો આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ પાસે અગાઉથી નોંધાવી દેવા જણાવ્યું છે.

- text

- text