મીતાણા દિવ્ય શક્તિ બહુચર ધામ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે

- text


મોરબી : રાજકોટ મોરબી હાઈવે પર મીતાણા ખાતે આવેલા દિવ્ય શક્તિ બહુચર ધામ ખાતે તા. 3 ને સોમવારના ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 5:30 કલાકે મંગળા દર્શન, 6 કલાકે મંદિરના પ્રમુખ સાહેબ માતાજીના યંત્ર તેમજ પાદુકાની પુજા કરશે, 7 કલાકે આરતી, 7:30 કલાકે ઢોલ નગારા સાથે માતાજીના ધજાજીના સામૈયા, 8 કલાકે ધજાજીનું પુજન તેમજ 8:30 કલાકે ફરાળી પ્રસાદ જેવા વિવિધ પ્રસંગો યોજાશે. માતાજીના વસ્ત્રો, ધજાજી તેમજ પ્રસાદ દાતા દેવાંશી કન્સ્ટ્રક્શનવાળા મોહનભાઈ, વિજયભાઈ તથા ગીરીશભાઇ તરફથી રહેશે. આ ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં શંખલપુરવાળા માસીબા સરોજબા ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા મંદિરના મુખ્ય પુજારીજીએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text