- text
મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવતીકાલે તારીખ 30 જૂન ને શુક્રવારના રોજ રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા સાદુળકા ગામે ભાણજીભાઈ જસમતભાઈ પાંચોટિયાના પરિવાર દ્વારા આ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર હર્ષદ પટેલ અને દલસુખ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. આ સંતવાણીમાં તબલાવાદક કશ્યપ અગ્રવાલ, બેંજો માસ્ટર રાહુલ મકવાણા બહુચર સાઉન્ડના સથવારે તાલ પુરાવશે. તો આ સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.
- text
- text