મોરબીના છાત્રોએ પોન્ડિચેરી સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમની શૈક્ષણિક મુલાકાત લીધી

- text


મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા તથા રાજ્યકક્ષાએ મહર્ષિ અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરેક સ્પર્ધાના રાજ્યકક્ષાના ટોપ 10 વિજેતાઓને ગુજરાત સરકાર દ્વારા પોન્ડિચેરી સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમ અને ઓરોવિલેે ફાઉન્ડેશનની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાંથી દેવાંશી પરમાર, પૂજા ભેંસદડિયા, ખુશ્બુ નિમાવત અને જાડેજા સત્યરાજસિંહે પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેજલબેન ચૌહાણ, મીતાબેન ગવલી, અમૃતાબેન ગામીત, યોગેશ મોદી તેમજ જીગર રાણાના માર્ગદર્શન હેઠળ તમામ છાત્રોને અરવિંદ આશ્રમના ટ્રસ્ટી માત્રી પ્રસાદ, ઓરોવિલેે ફાઉન્ડેશનના ચીફ સેક્રેટરી ડો. જયંતિ રવી, ડિજિટલ યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો. મલ્લિકા ગાંગુલી તેમજ ફાઉન્ડેશનના અન્ય પર્સનલ સેક્રેટરી સુધા પ્રભુ તરફથી ખાસ શૈક્ષણિક સત્રનો લાભ મળ્યો હતો. આ ઉત્કૃષ્ટ પ્રયાસને ડો. જયંતિ રવિએ બિરદાવ્યો હતો અને ફાઉન્ડેશન સાથે નિયમિત સંપર્ક રાખી જોડાઈ રહેવા અનુરોધ કર્યો હતો.

- text

- text