રાજ્યના 621 એએસઆઈને ટૂંક સમયમાં પીએસઆઇ તરીકે બઢતી

- text


ખાતાકીય પરીક્ષા પાસ કરનાર તમામ એએસઆઈની વિગતો મંગાવાઈ

મોરબી : રાજ્યના 621 એએસઆઈને ટૂંક સમયમાં પીએસઆઇ તરીકે બઢતી મળનાર છે, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ તમામ એએસઆઈની વિગતો મંગાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 621 એએસઆઈ ઉતીર્ણ થતા તેમને ટૂંક સમયમાં પીએસઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવનાર છે. વધુમાં મોરબી જિલ્લામાંથી ચાવડા જિતેન્દ્રકુમાર હીરજીભાઈ, મસાકપુત્રા નજરૃદીનભાઈ જુસબમિયા અને બ્લોચ મહમદઉસ્માન કાદરબક્ષ ઉતીર્ણ થતા તેમની તમામ વિગતો મંગાવવામાં આવી છે.

- text

- text