- text
વાંકાનેર : વાંકાનેરના સુપ્રસિદ્ધ માટેલ ખોડીયાર મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. બિપોરજોય વાવાઝોડાને કારણે અષાઢી બીજ મહોત્સવ અગાઉ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે વાવાઝોડાનું સંકટ દૂર થતા અને હજારો યાત્રિકોની લાગણીને ધ્યાને લઇ આ અષાઢી બીજ મહોત્સવ રાબેતા મુજબ ઉજવાશે. મહોત્સવમાં જોડાવવા દર્શનાર્થીઓને જાહેર અનુરોધ કરાયો છે.
- text
- text