વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હળવદમાં

- text


સ્થળાંતરીત લોકોને કેશ ડોલ્સ ચૂકવાય અને પશુપાલકોને ફોરેસ્ટના ગોડાઉનમાંથી ઘાસચારો આપવાની શક્તિસિંહની માંગ

મોરબી : વાવાઝોડાની સ્થિતિ વચ્ચારે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હળવદ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ હળવદના સ્થાનિક આગેવાનોને મળીને ત્યાંની સ્થિતિ જાણી હતી.

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડા બે દિવસ કચ્છમાં પડાવ નાખવાના છે. તેઓ કચ્છ જતા હતા તે દરમિયાન તેઓએ હળવદ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જે દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સરકાર દ્વારા જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓને નિયમ મુજબ કેશડોલ્સ ચુકવવામાં આવે. ઉપરાંત ફોરેસ્ટના ગોડાઉનમાંથી પશુપાલકોને ઘાસચારો વિતરણ કરવામાં આવે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર દ્વારા વાવાઝોડાને પગલે આગોતરું આયોજન કરાયું છે. આ આફતના સમયે કોંગ્રેસ તંત્રની સાથે છે. કોંગ્રેસ પણ લોકોની સેવામાં ખડેપગે રહેવાનું છે.

- text

- text