નવલખીના જુમ્માવાડી વિસ્તારના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરતું મોરબી જલારામ મંદિર

- text


પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બન્ને ટાઈમ ભોજન વ્યવસ્થા

મોરબી : કુદરતના કહેર વચ્ચે માનવતાની મહેક પ્રસરાવી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા નવલખીના જુમ્માવાડી વિસ્તારના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી હતી અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બન્ને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મંદિર પરિવાર દ્વારા જાહેર કરાયુ છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાંનુ સંકટ તોડાઈ રહ્યુ હોય સ્થાનિક પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડ માં આવી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લાના નવલખી બંદરની આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે એવા સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા આવી રહી છે.

વધુમાં તા.12ને સોમવારના રોજ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા નવલખીના જુમ્માવાડી વિસ્તારના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું.

- text

- text