- text
વાવાઝોડાને પગલે જો વિકટ પરિસ્થિતિ સર્જાશે તો કાર્યકર્તાઓ ખડેપગે રહેશે
મોરબી : મોરબી જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા વાવાઝોડાને પગલે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોઈ પણ લોકોને મદદની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવાયું છે.
કુદરતી આપત્તિ વખતે માનવ લાચાર છે. આવા સંજોગોમાં કર્મઠ સમર્પિત કાર્યકર્તાઓની ફરજ બને છે કે આપત્તિ કાલમા સમાજના દરેક લોકોની જરૂર પડ્યે મદદ કરે. માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી જિલ્લા માટે હેલ્પલાઈન જાહેર કરવામાં આવ્યા છે. આ ટિમ જો વિકટ પરિસ્થિતી આવે તો મોરબી જિલ્લાની તમામ જનતાની મદદ માટે કાર્યશીલ રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
- text
કમલભાઈ દવે મો.નં 95956 88888
ભાવિકભાઈ ભટ્ટ મો.નં.96875 19898
કૃષ્પભાઈ રાઠોડ મો.નં.96876 18006
પુષ્પરાજસિંહ જાડેજા મો.નં.9978 117117
- text