9 જૂને કાસુન્દ્રા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

- text


સ્વર્ગસ્થ ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે રકતદાન કેમ્પનું આયોજન

મોરબીઃ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ગુરુલાભદે હોલ ખાતે આવતીકાલે તારીખ 9 જૂન ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે કાસુન્દ્રા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.

સ્વર્ગસ્થ ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કાસુન્દ્રા પરિવાર દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્કાર બ્લડ બેંક મોરબીનો સહકાર મળી રહ્યો છે. તો સૌ રક્તદાતોને રક્તદાન કરી સ્વ. ગોદાવરીબેન કાસુન્દ્રાને સાચી શ્રદ્ધાંજલિ આપવા કાસુન્દ્રા પરિવારે અપીલ કરી છે. વધુ માહિતી માટે મો.નં. 9824719704, 9824719746, 9824138701 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text