મોરબીની પરિણીતાને અમદાવાદના પતિ સહિતના સસરિયાઓનો ત્રાસ

- text


મોરબી : અમદાવાદ પરણેલી મોરબીની પરિણીતાને પતિ સહિતના સસરિયાઓ ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપવાની સાથે પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય પરિણીતાને હેરાન કરતા મોરબી મહિલા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અંકિતાબા યશરાજસિંહ ઝાલાએ મોરબી મહિલા પોલીસ મથકમાં અમદાવાદ નરોડા ખાતે રહેતા પતિ યશરાજસિંહ પરાક્રમસિંહ ઝાલા, સાસુ ઇલાબા પરાક્રમસિંહ ઝાલા, નણંદ વૃંદાબા પરાક્રમસિંહ ઝાલા અને માસીજી સાસુ ઉમાબા પ્રવિણસિંહ રાઓલ દ્વારા ઘરકામમાં નાની નાની બાબતોએ મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. સાથે સાથે તેમના પતિ યશરાજસિંહને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય દુઃખ ત્રાસ આપતા હોવાનું જણાવતા મહિલા પોલીસ મથકમાં આઇપીસી કલમ 498 અને 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

- text

- text