મોરબીની વજેપરવાડી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવાયો

- text


એક સાથે 300 બાળકો ભોજન લઈ શકશે

મોરબીઃ મોરબીની વજેપરવાડી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે વિશાળ શેડ બનાવવામાં આવ્યો છે. એક સાથે 300 બાળકો ભોજન લઈ શકે તે માટે દાતાઓના સહયોગથી આ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળાના બાળકોને બપોરે ભોજન આપવામાં આવતું હોય છે. પરંતુ વજેપરવાડી પ્રાથમિક શાળામાં બાળકો શાંતિથી બેસીને ભોજન લઈ શકે તે માટે વ્યવસ્થા ન હોવાથી ઉનાળામાં અને ચોમાસામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે શાળા પરિવાર તથા SMC કમિટી દ્વારા સમાજના અગ્રણીઓને જાણ કરવામાં આવી હતી. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ કાર્યરત એવી વજેપરવાડી પ્રાથમિક શાળાના બાળકોની આ સમસ્યા નિવારવા માટે સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા, કૌશિકભાઈ નાનજીભાઈ નકુમ, હસમુખભાઈ પુંજાભાઈ નકુમ, ધનજીભાઈ લક્ષ્મણભાઈ નકુમ, મનસુખભાઈ જીવણભાઈ નકુમ, ઘેલજીભાઈ કુંવરજીભાઈ કંઝારીયા, પરબતભાઈ મલાભાઈ ડાભી, ચેતનાબેન મીઠાભાઈ પટેલ, ખીમજીભાઈ રાઘવજીભાઈ દેસાઈ, મહાદેવભાઈ ઉટવાડીયા, ભાવનાબેન શંકરભાઈ પટેલ તથા શાળાના શિક્ષકો સહીતનાં અગ્રણીઓ દ્વારા ૩૦૦ બાળકો એક સાથે ભોજન ગ્રહણ કરી શકે તેવા વિશાળ શેડનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

- text

શેડનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા મુખ્ય સહયોગી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા દ્વારા વિદ્યાર્થીઓને આઈસક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વજેપરવાડી પ્રાથમિક શાળા-મોરબીના શિક્ષકોએ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text