વાંકાનેરમાં બાળકો માટે સમૂહ વિદ્યારંભ સંસ્કાર યોજાશે

- text


પહેલા ધોરણમાં અભ્યાસ શરુ કરતા પહેલા વિદ્યાસંસ્કાર કરાશે

વાંકાનેર : વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે નવા શૈક્ષણિક સત્રમાં ભણવા મુકતા પહેલા બાળકો માટે આગામી તા.4/6/2023 ને રવિવારના રોજ સવારે 9 થી 10:30 કલાક સુધીમાં સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે.

નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય અને પોતાના બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ કરાવવામાં આવશે અને ગાયત્રી પરિવાર મુજબ વિધિ સંપન્ન થશે તો દરેકને પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિ પીઠ ઉપર સમયસર લાવવા ભાવભર્યું આમંત્રણ છે. માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું રહેશે. પૂજાપો ગાયત્રી શક્તિ પીઠ પરથી આપવામાં આવશે. જે આ વિધિ મા આવના હોય તે પોતાનું રજિસ્ટ્રેશન 9265066096 / 9825120978 નંબર પર કરાવી શકશે.

- text

- text