મેઘપર ગામના વતની PSI સી.કે.રામાનુજ નિવૃત થતાં વિદાયમાન અપાયું

- text


માળીયા (મી.): મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેઘપર ગામના વતની મોરબી વાવડી ગામે રહેતા અને હાલ ભુજ ફરજ બજાવતા પીએસઆઈ ચંદ્રકાંતભાઈ કરસનદાસ રામાનુજ વય મર્યાદાના કારણે નિવૃત થતા પોલીસ સ્ટાફ દ્વારા માન સન્માનભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.

પીએસઆઈ ચંદ્રકાંતભાઈ રામાનુજે ગુજરાત પોલીસ વિભાગમાં ૩૯ વર્ષ સુધી ફરજ બજાવી હતી જેમાં ગોંડલ, રાજકો,ટ ભચાઉ, પાલનપુર, મોરબી સહિત અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી હાલ ભુજ પોલસી હેડ ક્વાટર ખાતે ફરજ બજાવતા ગત તા.૩૧/૦૫/૨૦૨૩ના રોજ તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જેથી ભુજ પોલીસ સ્ટાફ દ્વારા માન સમ્માનભેર વિદાય આપી તેમનુ નિવૃત્તિ સમયનુ જીવન સુખ શાંતિ શાંતિપૂર્ણ અને તંદુરસ્ત જીવન પસાર થાય, હંમેશા સ્વસ્થ રહે તેવી દુઆ પ્રાર્થના સાથે સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ સી.કે.રામાનુજના દીકરી રાધિકાબેન રામાનુજ પણ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને જોગાનુજોગ કોરોના કાળ દરમિયાન બંને પિતા પુત્રી એક સાથે મોરબી જિલ્લામાં ફરજ બજાવી પોતાના વતનનુ ઋણ ચુકવી કપરા સમયમાં ફરજ બજાવી હતી.

- text

- text