- text
કરિયાવર મામલે શારીરિક, માનસિક ત્રાસ આપતા બહેનપણી સાથે રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીમાં બે વર્ષ પૂર્વે દામ્પત્યજીવનમાં પગલાં માંડનાર પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા કરિયાવર બાબતે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા હાલ બહેનપણી સાથે અલગ રહેતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની મહાવીર સોસાયટીમાં બહેનપણી સાથે રહેતા માનસીબેન પીયૂષભાઈ મલ્લિ ઉ.24 નામના પરિણીતાએ પતિ પીયૂષભાઈ સસરા વાલજીભાઈ, સાસુ બીનાબેન અને નણંદ પ્રિયાબેન મલ્લિ રહે.લક્ષ્મી નારાયણ સોસાયટી, વ્રજ ટાવર મોરબી વાળાઓ વિરુદ્ધ કરિયાવર મામલે શારીરિક માનસિક ત્રાસ આપવા મામલે ફરિયાદ નોંધાવી છે.
- text
વધુમાં બે વર્ષ પૂર્વે લગ્ન કરનાર માનસીબેનને પતિ સહિતના સાસરિયાઓ સામે નોંધવાયેલ ફરિયાદમાં જણાવાયું છે કે, તેણીના પતિ પીયૂષભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવા ઉપરાંત તું કરિયાવર ઓછો લાવી છે કહી મારકુટ કરવામાં આવતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી હાલમાં માનસીબેન તેમના બહેનપણીની રૂમમાં રહી ખાનગી નોકરી કરતા હોવાનું મહિલા પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું. ઘરેલુ હિંસાના આ કેસમાં મહિલા પોલીસ ટીમે આઇપીસી કલમ 498 (ક), 323 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text