મોરબીમાં બરાસરા પરિવારનો પાટોત્સવ અને તેજસ્વી છાત્ર સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીમા વસવાટ કરતા તમામ બરાસરા પરિવારનો પાટોત્સવ અને તેજસ્વી છાત્રના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં વસતા તમામ બરાસરા પરિવારના નવમાં પાટોત્સવ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામા આવશે. આ વર્ષે જે વિદ્યાર્થીઓએ વર્ષ 2023 દરમિયાન ધોરણ 10 ધોરણ 12 સાયન્સ કોમર્સ આર્ટસ તેમજ સ્નાતક કક્ષાએ બીએસસી, બી.ઇ, બીએ, બીકોમ, બીબીએ તેમજ અનુસ્નાતક કક્ષાએ એમ.એસ.સી, એમ.એ, એમ ઇ, એમ.કોમ, એમસીએ, એમબીબીએસ, પી.એચ.ડી. જેવા કોર્સમાં સારા માર્કસે પાસ કર્યા હોય તેમજ કોઈ સારી ઉપલબ્ધિઓ (સરકારી નોકરી, પ્રાઇવેટ ઊંચો હોદ્દો વગેરે)મેળવી હોય તો તેઓએ પોતાની છેલ્લા સેમની માર્કશીટ અને કોઈ પણ ઉપલબ્ધિ મેળવનારનું પસંદગી પત્રક કે ઓર્ડરની કોપી નીચે દર્શાવેલ નંબર પર વોટસએપ કરવા અને માર્કશીટ મોકલો ત્યારે ગામનું નામ અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા અપીલ કરાઈ છે.

- text

9979909998 રજનીશભાઈ
9909835821 ધવલભાઈ
9978102712 હિતેશભાઈ

- text