કાલે મોરબીના ઓમનગર ખાતે બહુચરાજી મંદિરે પાટોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના ઓમનગર (નવા ખરાચીયા) ખાતે તા. ૧૪ મે ને રવિવારે બોપલીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરનો ૨૧મો વાર્ષિક પાટોત્સવ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૩ મે ને શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે માતાજીના રાસ ગરબા, તા ૧૪ મે ને રવિવારે સવારે ૭:૨૫ કલાકે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત તેમજ બપોરના ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં યજ્ઞના મુખ્ય યજમાન વ્રજકુમાર દિનેશભાઈ બોપલીયા અને અ. સૌ. જયશ્રીબેન વ્રજકુમાર બોપલીયા છે તેમજ મહાપ્રસાદના દાતા કાનજીભાઈ જીવાભાઈ બોપલીયા (ખરાચીયા, હાલ મોરબી) છે. મોરબી તેમજ આસપાસના બોપલીયા પરિવારોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text