૧૭મીએ ઝીઝુંડાની કાનસ્વામીની જગ્યાએ પંદરમો પાટોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના ઝીંઝુડા ખાતે ગુરૂ મહારાજ સિધ્ધસંત કાનસ્વામીની જગ્યા ખાતે તા. ૧૭ મે ને બુધવારે ૧૫મા પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૭ મે ના સવારે ૮:૩૦ કલાકે ગુરૂ વંદના, સવારે ૯ કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરના ૧૨ કલાકે યજ્ઞપુર્ણાહુતિ, બપોરના ૧૨:૪૫ કલાકે મહાપ્રસાદ તેમજ બપોરના ૧૨:૪૫એ મહાઆરતી જેવા કાર્યક્રમમો ઉજવાશે. આ પાટોત્સવ અંગેની વધુ માહિતી મેળવવા માટે ચંદુભાઈ (9879578825) તેમજ નંદુભાઈ( 8153894237) નો સંપર્ક કરવાનો રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા મહંત સરસ્વતી માતાજી સેવા સમિતિ સંત કાનસ્વામી મહારાજની જગ્યા તેમજ સેવક પરિવારે નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text