મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો માટે મિશન લાઈફ વિષય પર યોજાયો સેમિનાર

- text


મોરબીઃ આજ રોજ તારીખ 12 મેના રોજ સવારે 11 કલાકે મોરબી સિરામીક એસોસિએશન હોલ ખાતે મિશન લાઈફ- લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીપીસીબીના મદદનીશ નિયામક અમિત ઠક્કર તથા જીપીસીબી પ્રાદેશીક કચેરી– મોરબીના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એમ. એન. સોની તથા મદદનીશ પર્યાવરણ ઈજનેર એમ.એમ.ખીમસુરીયા તથા મોરબી સિરામીક એસોસિએશનના સયુંક્ત ઉપક્રમે Mission LiFE – Life Style For Environment વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત સિરામીક ઉદ્યોગકારોને અધિકારીઓ દ્વારા વેસ્ટ રીડકશન તથા રીયુઝ/રીસાઈકલ કરવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અંને મિશન લાઈફ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વધુમાં સિરામીક એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉના વર્ષોમાં જે સિરામીક એકમની ઉત્પાદન કરવાની જે પદ્ધતિ હતી તે હવેના સમયમાં ફેરફાર કરીને નવી અત્યાધુનિક ટેકનોલોજી વાળા પ્લાન્ટ મશીનરી પ્રસ્થાપિત કરીને ઉત્પાદન કરવામાં આવે છે અને વધુમાં જણાવેલ કે, હાલમાં સિરામીક એકમમાંથી ઉદભવતુ ગંદુ પાણીને સેટલીંગ કર્યા બાદ ફરીથી પ્રોસેસમાં સંપુર્ણ રીયુઝ કરવામાં આવે છે અને ઈટીપી વેસ્ટને પણ સંપુર્ણ રીયુઝ કરવામાં આવે છે.

- text

- text