મોરબી જીલ્લાના રાજપુત કરણી સેનાના નવા હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો

- text


જિલ્લા પ્રમુખ તરીકે મનોજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમાની વરણી

મોરબી : મોરબી જીલ્લાની રાજપુત કરણી સેનાની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ તકે રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મનોજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા વાઘારવા, શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગામેગામથી ૧૦૦ જેવા સભ્યો કરણી સેનામા જોડાયા હતા. આ તકે રાજપુત કરણી સેનાની ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વી.એસ. જાડેજા , ગુજરા પ્રદેશ ઉપાધ્યક્ષ દોલુભા જાડેજા સરમત, ગુજરાત સહમંત્રી ભાવસિંહજી ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દસુભા ઉદેસિંહ ઝાલા, ઝાલા રાજપૂત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા ખીજડીયા, કિશોરસિંહ ઝાલા , કે ડી જાડેજા ,વિક્રમસિંહ જાડેજા વવાણીયા, રાજપુત યુવા સંઘના પ્રદેશ સંગઠન મંત્રી નિરુભા ઝાલા , મહાવીરસિંહ ઝાલા , મહેન્દ્રસિંહ ઝાલા , સહદેવસિંહ ઝાલા રવાપર નદી, મૂળરાજસિંહજી ઝાલા , પ્રદેશ મહામંત્રી ક્રિપાલસિંહજી જાડેજા સહિતના મોરબી જિલ્લાના ગામો ગામથી ક્ષત્રિય અગ્રણીઓ તેમજ યુવાનો અને વડીલો એ હાજરી આપી અને રાજપુત કરણી સેનાના નવ નિયુક્તિ હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.

- text

- text