ટંકારા તાલુકાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિ ભવનનુ લોકાર્પણ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર કુરીવાજો સતિપ્રથા સહિતની બદી સાથે બાથ ભીડી આર્ય સમાજની સ્થાપના કરનાર ભારતના ભિષમપિતા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિ ભવનનુ નિર્માણ કરી નગરજનો હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આર્ય સમાજ મંદિરે હવે વૈદિક કાર્યક્રમો સમાજ જાગુતાના કાર્ય હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે વાલજીભાઈ ઢોલરીયા, જસમતભાઈ હાપલિયા અમદાવાદ, ભાવેશભાઈ હાપલિયા, મહાદેવભાઇ રંગપરીયા, કાનજીભાઈ લુણાગરિયા કાંતિભાઈ ડાકા સહિતના ગ્રામજનો આમંત્રિત અતિથી હાજર રહ્યા હતા.

- text

- text