તા.7મીએ મોરબી સિનિયર સિટીઝનની બેઠક યોજાશે 

- text


મોરબી : મોરબી સિનિયર સિટીઝન મંડળની આગામી તા. 7 મેને રવિવારે સવારે 10 કલાકે ધન્વંતરિ ભવન ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિનિયર સિટિઝનને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ મિટિંગ પૂર્ણ થયા પછી વકીલ જગદીશભાઈ ઓઝા તરફથી બપોરના 12 કલાકે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ મિટિંગમાં સર્વે સિનિયર સિટિઝનને ઉપસ્થિત રહેવા પ્રમુખ ડો. બી. કે. લહેરુ તેમજ મંત્રી મહેશ ભટ્ટે નિમંત્રણ આપ્યું છે.

- text