મોરબીમાં આવતીકાલે કવિ સંમેલન યોજાશે

- text


મોરબી : ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા અવનવા જ્ઞાનવર્ધક અને સંસ્કૃતિ પોષક તથા રાષ્ટ્ર વંદનાના કાર્યક્રમનો યોજાતા રહે છે ત્યારે તા. ૨૩-૦૪-૨૦૨૩ને વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સાંજે ૬ થી ૮ કલાકે નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કવિ સંમેલનમાં મોરબીના જાણીતા કવિઓ સાંપ્રત કે શાશ્વત ભારતીય સત્ત્વ તત્ત્વ પર સ્વરચિત કવિતા પઠન કરશે. તેમજ મૂર્ધન્ય કવિઓના નિવડેલા કાવ્યોનું પઠન કરી તેઓનું સ્મરણ અને ભારતીય વિચારનો પ્રચાર- પ્રસાર થશે. સાથે ભારતીય વિચાર મંચના પુસ્તકો વળતર સાથે વેચાણ થશે. આ કાર્યક્રમનો સર્વે નગરજનોને લાભ લેવા ભારતીય વિચાર મંચે નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text