વાંકાનેર ગાયત્રી શકિતપીઠમાં આજથી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ

- text


મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત નારી સશક્તિકરણ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આજે તા. ૨૨ થી ૨૬ એપ્રિલ સુધી રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી ગાયત્રી શકિતપીઠ, વાંકાનેર ખાતે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

યુગૠષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય રચિત ૧૯માં પુરાણ એટલે પ્રજ્ઞાપુરાણ જેમાં માનવજીવનની સમસ્યા અને આધ્યાત્મસભર સંદેશ આપેલા છે. તે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું વાંકાનેરની ગાયત્રી શકિતપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરીયા વક્તા રહેશે. તા. ૨૨-૦૪-૨૦૨૩ ને શનિવારે સાંજે ૫ કલાકે વૃંદાવન સોસાયટી, રાજકોટ રોડથી ગાયત્રી મંદિર સુધી પોથીયાત્રા નીકળશે. વાંકાનેર તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text