મોરબીમાં આજે સાંજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાશે

- text


મોરબી : દર વર્ષે આજના દિવસે એટલે કે વૈશાખ સુદ ત્રીજ ને અખાત્રીજના દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મસમાજના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં પણ આજે બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને સાંજે ભગવાન પરશુરામજીની શોભાયાત્રા મોરબી શહેરમાં નીકળશે.

બ્રહ્મસમાજ મોરબી દ્વારા પરશુરામ જયંતિના પાવન અવસરે શોભાયાત્રા આજે સાંજે 4 વાગ્યે મોરબીના વાઘપરા ગાયત્રી મંદિરથી શરૂ થશે અને ત્યાંથી રામચોક, ગાંધી ચોક થઈને નેહરુ ગેટ તરફ જશે. ત્યારબાદ આ શોભાયાત્રા સ્ટેશન રોડ તરફ જશે અને ત્યાંથી ભગવાન પરશુરામ ધામ નવલખી રોડ ખાતે સર્વે ભૂદેવો મહાઆરતી અને મહાપ્રસાદ ગ્રહણ કરીને આ જાજરમાન પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

- text

મોરબી જિલ્લામાં વસ્તા તમામ ભૂદેવોને આ શોભાયાત્રામાં સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને વધુમાં વધુ ભૂદેવો આ શોભાયાત્રામાં જોડાઈને આ શોભાયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવે એવી લાગણી સાથે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text