જય ભારત સત્યાગ્રહ સંમેલનને લઈ રવિવારે મોરબી કોંગ્રેસની અગત્યની મિટીંગ યોજાશે

- text


મોરબીઃ તારીખ 23 એપ્રિલ ને રવિવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક અગત્યની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જય ભારત સત્યાગ્રહ સંમેલનને લઈને મળનારી આ મિટીંગમાં તમામ હોદ્દેદારો હાજરી આપશે.

મળતી માહિતી પ્રમાણે 23 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 10 કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સુચના મુજબ જિલ્લા કક્ષાનું જય ભારત સત્યાગ્રહ સંમેલન મોરબીમાં બોલાવવાના ભાગરૂપે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી હેમાંગભાઈ વસાવડાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ/ જિલ્લા/શહેર /તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ફન્ટલ સેલના તેમજ જિલ્લા/તાલુકા/નગરપાલિકામાં ચૂંટણી લડેલા તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવા માટે અગત્યની મિટીંગ રાખવામાં આવી છે. જેમાં તમામ હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ-બહેનોને હાજરી આપવા જણાવવામાં આવ્યું છે.

- text

- text